Gujrat Dainik Samachar

Gujrat Dainik Samachar Gujrat Dainik samachar focuses on more localized issues and events, such as regional politics, weather, business, and human interest stories.

25/05/2026
24/02/2026

પાલેજ જી.આઇ.ડી.સી.માં આવેલ સ્ટીલકો કંપનીમાં થયેલ ઘરકોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી પાલેજ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા.
૩૦૦૦ કિલો ઝીંક ડ્રોસ (કિંમત કિ.રૂ.૪,૫૦,૦૦૦/-)માંથી કિ.રૂ.૩,૫૦,૦૦૦/-નો મુદામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

04/02/2026

જંબુસર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા ASI રાજેન્દ્રસિંહ તથા સ્ટાફ ના માણસો જંબુસર ડેપો ખાતે દબાણ બંદોબસ્ત માં હતા તે વખતે એક નાની બાળકી ઉંમર વર્ષ 14 ની સુરત ખાતે થી તેના પિતા એ કામ કરવા બાબતે ઠપકો આપતાં ગુસ્સા માં સુરત થી બસ માં બેસી ને જંબુસર આવતી રહેલ હોય આજે જંબુસર ખાતે આમ તેમ ફરતી હોય જેથી તેની પૂછપરછ કરતા તેઓ જંબુસર તાલુકા ના ગામ ની વતની હોવાનું જાણવા મળતા તેની બહેન ને સંપર્ક કરી ને ભાગી આવેલ બાળકી ને તેની મોટી બહેન ને સલામત સોપવામાં આવેલ છે.


#જંબુસર

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા આપ સૌની મનોકામના પૂર્ણ કરે.                              Salangpur Hanumanji Shree Dabho...
31/01/2026

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા આપ સૌની મનોકામના પૂર્ણ કરે.


Salangpur Hanumanji
Shree Dabhodiya Hanumanji Mandir, Dabhoda, Gandhinagar district, Gujarat

25/01/2026

અમદાવાદના જજીસ બંગલો રોડ સ્થિત NRI ટાવરમાં મોડી રાત્રે દિલદ્રાવક બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, કોંગ્રેસ નેતા **શક્તિસિંહ ગોહિલ**ના સગા ભત્રીજા અને ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની સાથે થયેલા ઝઘડા બાદ પત્નીની ગોળી મારી હત્યા કરી, ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો.

📌 મુખ્ય વિગતો:
• લગ્નને માત્ર 2 મહિના થયા હતા
• ઘટના બાદ યશરાજસિંહે 108ને ફોન કરી “ભૂલથી ગોળી વાગી” હોવાનું જણાવ્યું
• 108 ટીમ સ્થળ પર પહોંચતા પત્ની રાજેશ્વરીનું મોત નિશ્ચિત થયું
• સ્ટાફ બહાર નીકળતા જ યશરાજસિંહે પોતાને માથે ગોળી મારી લીધી
• બંનેને માથાના ભાગે ગોળી વાગી હતી
• ઘટના સમયે ઘરમાં 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા
• યશરાજસિંહ પાસે લાયસન્સવાળી ગન હતી
• તાજેતરમાં જ તેમને વર્ગ-2માંથી વર્ગ-1માં પ્રમોશન મળ્યું હતું

🕊️ સમાજ માટે ચેતવણી:
ઘરેલું ઝઘડા, માનસિક દબાણ અને હથિયારો—આ ત્રણે મળીને કેવી રીતે જીવલેણ પરિણામ લાવે છે, તેનું આ દુઃખદ ઉદાહરણ છે.

📣 વધુ તપાસ ચાલુ છે.
🙏 મૃતકોના પરિવારજનો માટે સંવેદના.

25/01/2026

અત્યંત દુ:ખદ..😢

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ભદરવાહમાં માર્ગ અકસ્માતમાં ભારત માતાના બહાદુર સપૂતોની શહાદતના સમાચાર અત્યંત હૃદયદ્રાવક અને પીડાદાયક છે.

આ દુઃખદ સમયમાં શોકગ્રસ્ત પરિવારો સાથે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરુ છું.

હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માઓને પોતાના ચરણોમાં સ્થાન આપે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ્યતા આપે.

નર્મદા પ્રાગટ્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ !सबिन्दुसिन्धुसुस्खलत्तरङ्गभङ्गरञ्जितंद्विषत्सु पापजातजातकारिवारिसंयुतम् ।कृतान...
25/01/2026

નર્મદા પ્રાગટ્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ !

सबिन्दुसिन्धुसुस्खलत्तरङ्गभङ्गरञ्जितं
द्विषत्सु पापजातजातकारिवारिसंयुतम् ।
कृतान्तदूतकालभूतभीतिहारिवर्मदे
त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥

આજે નર્મદા મૈયા પ્રાગટ્ય દિવસ : ભરૂચ - અંકલેશ્વર માં ભવ્ય ઉજવણી.
નર્મદા નદી માત્ર જીવનદાયી જળસ્રોત અને કૃષિ-પર્યાવરણનો આધારસ્તંભ નથી, માં નર્મદા આપણા માટે સંજીવન, કુદરત પ્રત્યે ની ભક્તિ અને આનંદનો અખૂટ સ્ત્રોત છે; તેની પવિત્ર ધારામાં ડૂબેલી દરેક બૂંદ આપણાં મનને પવિત્રતા, શાંતિ અને નવી ઊર્જાથી ભરપૂર કરે છે.
આ દિવ્ય દિવસે આવો, હૃદયથી પ્રાર્થના કરીયે કે માં નર્મદા સદા હરીભરી ધારા સાથે વહેતી રહે, અને આપણે સૌ મળીને તેની પવિત્રતા, સ્વચ્છતા અને તટોની સુરક્ષા માટે સાચી ભાવના સાથે કાર્ય કરવાનો સંકલ્પ લઈએ.


Bharuch News

Address

Vadodara
391421

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujrat Dainik Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujrat Dainik Samachar:

Share